Type Here to Get Search Results !

બ્રહ્માકુમારીઝ સેક્ટર - ૩/ડી, ગાંધીનગર . દ્વારા આયોજીત મહાશિવરાત્રી કાર્યક્રમ ૨૦૨૨

PAYTM MONEUY

https://paytmmoney.onelink.me/9L59/bj1v9a15

 




પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય, સેક્ટર-૩, ગાંધીનગર દ્વારા મહાશિવરાત્રીના પર્વની ઉજવણી પ્રસંગે આજ તારીખ 01માર્ચના રોજ રામેશ્વર મંદિર, સેકટર -૩ ના પરિસર માં હીરાજડિત ભવ્ય સોમનાથ તથા કલિયુગ, સંગમયુગ અને સત્યુગની વિશેષ ઝાંખી અને મહા પરિવર્તન વિડિયો શોનું આયોજન કરવામાં આવેલ.



આ ઝાંખીના ઉદ્ઘાટન પ્રસંગે અતિથી વિશેષ શ્રી હિતેષભાઇ મકવાણા સાહેબ મેયર શ્રી ગાંધીનગર મહાનગર પાલિકા, વેર્ડ નં.9 ના કોપ્રોરેટર્સ -રાજુભાઇ પટેલ, શૈલાબેન ત્રીવેદી,  , સંકેતભાઇ પંચાસરા, અલ્પાબેન પટેલ ના પતિ  કૌશિકભાઇ પટેલ,ડૉ.વિપુલભાઇ સોનેરી, સુપ્રીટેન્ડેન્ટ ઓફ કોમ્ન્યુનીટી હેલ્થ સેન્ટર આડાલજ, ડ઼ૉ.વિપુલભાઇ ઠક્કર, પુર્વ કોર્પોરેટર શ્રી શંકરભાઇ ચૌધરી ,  અરૂણભાઇ ચૌધરી કંઝરવેટર ઓફ ફોરેસ્ટ, એડી.પટેલ સાહેબ નિવૃત્ત સચિવ તથા રામેશ્વર મંદર ટ્રષ્ટ ના પ્રમુખ,  બીકે સુનીતાબેન ( સંચાલિકા, બ્રહ્માકુમારીઝ સેક્ટર-૩ સેવાકેન્દ્ર)  હાજર રહ્યા હતા.




બ્રહ્માકુમારી સુનિતાદીદીએ તેમના સ્વાગત પ્રવચનમાં શિવરાત્રીના પર્વનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે બસ એક પરમપિતા પરમાત્મા શિવ જ આપણા સાચા સાથી છે અને દુઃખોના આ સમયે આપણને સુખી બનાવવા માટે અને નર્ક બની ગયેલી આ સૃષ્ટી નું પરિવર્તન કરી સ્વર્ગીય દૈવી સૃષ્ટી બનાવવા માટે જ દરેક મનુષ્ય આત્માઓ ના પિતા શિવ પરમાત્મા બ્રહ્મા ના માનવીય તન નો આધાર લઈને અવતરિત થયા છે. ગીતાના અધ્યાય ૯, શ્લોક ૧૧ માં કહ્યું છે તેમ મૂઢમતી મનુષ્યો સાધારણ તન માં અવતરિત થયેલ મુખ પરમાત્મા ને ઓળખી શકતા નથી. શિવપિતા ફરીથી આ ધરા પર અવતરિત થઈ પોતાનું દિવ્ય કર્તવ્ય કરી રહ્યા છે જેને 86 વર્ષ થઈ ચૂક્યા છે અને બ્રહ્મા ના માનવીય તન માં આવીને બ્રહ્માકુમાર- બ્રહ્માકુમારી દ્વારા કરી રહ્યા છે જે એક ગુપ્ત અને મહાન કાર્ય છે. 






આમંત્રિત મુખ્ય મહેમાન મેયર માનનીય મેયર શ્રીએ જણાવ્યું હતું કે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા આયોજીત આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણીમ ભારત કી ઓર કાર્યક્રમનો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ ઓનલાઇન ઉદ્ઘાટન કર્યું હતું તેમણે જણાવ્યું કે વર્ષ દરમિયાન બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા આ કાર્યક્રમને અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો થવાના છે. સેવા કેન્દ્રના સંચાલિકા સુનીતા દીદીએ આઝાદી મેળવવા માટે ગાંધી બાપુ અને તેમને આ કાર્યમાં સાથ આપનાર વીર સપૂતોને અને અત્યારસુધીના સર્વ વીર સહીદોને બે મીનીટ મૌન પડાવી શ્રદ્ધાંજલી આપાવેલી ત્યાર બાદ આમંત્રીત મહેમાનોને ઇશ્વરીય સૌગાત અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આમંત્રિત મહેમાનશ્રીઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અને  કલિયુગ, સંગમયુગ તથા સત્યુગની ઝાંખી અને મહાપરિવર્તન વિડિયો શો નિહાળ્યો હતો. હિરા જડિત સો મનાથ મહાદેવની ઝાંખીએ  ભાવિક ભક્તો માં ખૂબ જ મોટું આકર્ષણ જગાવ્યું હતું અને ભક્તોની દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. દર્શનનો લાભ આશરે આઠ થી દશ હજાર જેટલા ભાવિક ભક્તોએ લીધો અને તેમાં પાંચસો જેટલા ભાઇ/બહેનોએ શિબિરમાં આવવા માટે ફોર્મ ભરી સંમતિ દર્શાવી હતી.
આ મેઈલ સાથે પ્રાસંગિક ફોટો પણ અટેચ કરેલ છે.







Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.